• ક્યારથી બેસશે સત્તાવાર ચોમાસું?

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, નૈઋત્યનું ચોમાસું 31 મે સુધીમાં કેરળ આવી પહોંચે તેવી શક્યતા છે. આ આગાહીમાં ± 4 daysની ત્રુટિ હોઈ શકે છે. સામાન્ય રીતે, કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે.

  • 2024ના અંત સુધી મોંઘા બટાકા ખાવા પડશે

    ગરમીમાં બટાકાની માંગ વધવાથી બટાકા મોંઘા થયા છે. બટાકાના પાક પર અસર પડી હોવાથી માલ ઓછો આવી રહ્યો છે અને સામે માંગ છેક ડિસેમ્બર સુધી ઊંચી રહેવાની શક્યતા છે.

  • 19 મેથી આંદામાનમાં વરસાદની શક્યતા

    ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ 19 મેના રોજ આંદામાન ટાપુઓ પર પહોંચી શકે છે. આંદામાન ટાપુઓમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 22 મે હતી, પરંતુ અનુમાન છે કે આ વર્ષે તે નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા એટલે કે 19 મે સુધીમાં પહોંચી શકે છે.

  • 5 મે સુધી ગુજરાતમાં લૂની સંભાવનાઃ IMD

    IMD Update: હવામાન વિભાગે 5 મે સુધી ઘણા રાજ્યોમાં લૂ લાગવાની આગાહી કરી છે. ગુજરાત માટે યલ્લો એલર્ટ જ્યારે અન્ય કેટલાક રાજ્યો માટે રેડ એલર્ટ પણ આપ્યું છે.

  • નિફ્ટી ક્યારે 25,800એ પહોંચશે?

    બ્રોકરેજ કંપની પ્રબુદાસ લીલાધરે રિપોર્ટમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર 2024 સુધીમાં નિફ્ટી 25,800એ પહોંચવાની શક્યતા છે. અત્યારે નિફ્ટી ઈન્ડેક્સ 22,500ની આસપાસ છે.

  • શાકભાજીની મોંઘવારી ક્યાં સુધી હેરાન કરશે

    ગરમી વધવાથી શાકભાજીના સપ્લાય પર અસર પડી છે અને તેના કારણે આગામી કેટલાક મહિના સુધી મોંઘવારી દરમાં 0.4-0.6% વધારો થવાનો અંદાજ છે.

  • સામાન્ય કરતાં વધારે વરસાદ પડશેઃ IMD

    હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ભારતમાં ચોમાસું સારું રહેશે અને સામાન્ય કરતાં વધારે પડશે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડશે અને લા નીના તથા પોઝિટિવ IODથી ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

  • આ વખતે ચોમાસું કેવું જશે?

    weather forecasting company Skymetએ જણાવ્યું છે કે, આ વખતે લાંબા ગાળાની 880.6 મીમી વરસાદની સરેરાશના 98 ટકા જેટલો વરસાદ પડી શકે છે. ભારતમાં સરેરાશ વરસાદની 65 ટકા શક્યતા છે.

  • ગુજરાતમાં ઉનાળો કેવો રહેશે?

    ગરમી વધવાથી ઘઉંના પાકને અસર પડશે? હવમાન વિભાગે ઘઉં પકવતા રાજ્યો અંગે શું આગાહી કરી? કયા રાજ્યોમાં અસહ્ય લૂ લાગવાની શક્યતા છે?

  • 54 જળાશયોમાં પાણીનું સ્તર 40%થી ઓછું

    સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના આંકડા દર્શાવે છે કે, 16 ફેબ્રુઆરી સુધીમાં દેશનાં મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘટીને 47% થઈ ગયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 82% હતો. છેલ્લાં 10 વર્ષની સરેરાશ 95 ટકા છે અને તેની સરખામણીએ પાણીનું સ્તર લગભગ અડધું થઈ ગયું છે.